અખાત્રીજ ૨૦૨૩: જાણો અખાત્રીજનો ઇતિહાસ, કથા, મુહૂર્ત, મહત્વ અને પૂજાવિધિ : આજનો તહેવાર એટલે કે અખાત્રીજનો મહાપર્વ પુરા ભારતમાં હર્ષ આનંદ સાથે મનાવવામાં આવી રહ્યો છે. અખાત્રીજની વાત કરીએ તો આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે આ ઉજવવામાં આવે છે.

અક્ષય તૃતીયાના રોજ ત્રેતાયુગની શરૂઆત થઈ હતી. માનવામાં આવે છે કે અખાત્રીજ ઉપર ખરીદાયેલી વસ્તુ લાંબા સમય સુધી સમૃદ્ધિ આપે છે અને ઘર અને પરિવારમાં પણ સમૃદ્ધિ આવે છે કારણ કે અક્ષય તૃતીયાના દિવસે વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામજી અને નવમી દેવી ભગવતી રાજરાજેશ્વરી માતંગીની જન્મ જયંતી મહાવિદ્યામાં ઉજવવામાં આવે છે.
અખાત્રીજ ૨૦૨૩
અક્ષય તૃતીયાની પૌરાણિક ઘટનાઓ
જો આ દિવસની વાત કરવામાં આવે તો આ દિવસે ઘણા બધા યોગ સાથે થયા હતા જેમકે આ દિવસે ભગવાન નર-નારાયણ પરશુરામ અને હૈગ્રીવ સાથે અવતરીયા હતા, સાથે બ્રહ્માજીના પુત્ર અક્ષય પણ આ દિવસે જન્મ્યા હતા. બરોબર આ જ દિવસે કુબેર અને ખજાનો પણ મળી ગયો હતો.. આ અખાત્રીજના દિવસે માતા ગંગા પણ નીચે ઉતરી હતી અને સુદામા ભગવાન કૃષ્ણને આ જ દિવસે મળવા આવ્યા હતા.
બીજી વાત કરવામાં આવે તો..
- અખાત્રીજના દિવસે સતયુગ અને ત્રેતા યુગમાં પ્રારંભ થયો હતો અને દ્વાપરયુગનો અંત પણ આ દિવસે થયો હતો.
- બ્રહ્માજીના પુત્ર અક્ષય તૃતીયાના દિવસેથી વેદ વ્યાસ અને ભગવાન ગણેશે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું.
- આદિ શંકરાચાર્યએ કનકધારા સ્ત્રોતની રચના કરી હતી.
- આ દિવસે મહાભારત યુદ્ધ સંપૂર્ણ રીતે સમાપ્ત થયું હતું.
- પ્રથમ તીર્થંકર આદિનાથ ઋષભદેવજીએ ઇક્ષુના રસ સાથે ભગવાનનું 13 મહિનાનું સખત ઉપવાસ કર્યું હતું.
અખાત્રીજ ના શુભ દિવસે પૂજા મુહૂર્ત
અખાત્રીજના દિવસે 22 એપ્રિલ, 2023ના રોજ સવારે 07.49 થી બપોરે 12.20 સુધી માતાલક્ષ્મી, કલશ અને વિષ્ણુ ભગવાનની પૂજા માટે શુભ સમય રહેશે.
પૂજાનો કુલ સમયગાળો 4 કલાક 31 મિનિટનો રહેશે.
- તૃતીયા તિથિ ક્યારે શરૂ થાય છે? : સવારે 07:49 થી
- તૃતીયા તિથિ સમાપ્ત ક્યારે થાય છે? : સવારે 07:47 સુધી
અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનો શુભ સમય ક્યો રહેશે?
- અખાત્રીજના શુભ દિવસે સોનું ખરીદવાથી સૌભાગ્ય અને સંપત્તિ વધે છે તેવી માન્યતાઓ છે. આ દિવસે સોનાનો ખરીદી માટેનો શુભ સમય 22 એપ્રિલ 2023ના રોજ સવારે 07.49 વાગ્યાથી 23 એપ્રિલ 2023ના રોજ સવારે 07.47 વાગ્યા સુધીનો છે. સોનું ખરીદવાનો કુલ સમયગાળો 21 કલાક 59 મિનિટ છે.
- અખાત્રીજનો આ આખો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે રિયલ એસ્ટેટ સંબંધિત કામ, શેરબજારમાં રોકાણ અથવા નવો બિઝનેસ શરૂ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- આ મુહૂર્તમાં તમે શુભ કાર્ય કરી શકો છો.
અખાત્રીજની પૂજાવિધિ કેવી રીતે કરવી ?
સૌપ્રથમ અખાત્રીજ પર સૂર્યોદય સમયે ઠંડા પાણીથી સ્નાન કરો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. તેમને સફેદ ફૂલ, ફળ અને મીઠાઈઓ અર્પણ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો.
- અખાત્રીજના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને પીળા વસ્ત્રો પહેરો કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે.
- ભગવાન વિષ્ણુની મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવો.
- આ પછી તેમને પીળા ફૂલ અને તુલસી અર્પિત કરો.
- ભગવાનની સામે દીવો અને ધૂપ પ્રગટાવો અને આસન પર બેસીને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો.
- ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર પરશુરામજી વિષ્ણુ આરતી અને સ્ત્રોતો દ્વારા પ્રસન્ન થાય છે તો તેની આરતી અને સ્ત્રોતોનો જાપ કરો.
- આ દિવસે દાન અવશ્ય કરો.
- ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મીની પૂજા કરો.
- આ દિવસે 14 પ્રકારના દાનમાંથી કોઈપણ એક પ્રકારનું દાન કરો.
માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો
આ શુભ દિવસ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી એ ખૂબ જ શુભ માનવમાં આવે છે. આમ કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખી દામ્પત્ય જીવન માટે આશીર્વાદ આપે છે. મા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી. આ દિવસે માતા લક્ષ્મી સાથે ગણેશજીનું પણ આહ્વાન કરવું જોઈએ. આ દિવસે મા લક્ષ્મીને ખીર અર્પણ કરવાથી તમારા ઘરની સંપત્તિમાં વધારો થાય છે.
અક્ષય તૃતીયા પર આ વસ્તુઓનું દાન કરો
જો તમારા ઘરમાં લાંબા સમયથી આર્થિક સંકટ છે તો અખાત્રીજ પર આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમાં પાણી, કુંભ, ખાંડ, સત્તુ, પંખો, છત્રી, ફળ વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે જે લોકો અક્ષય તૃતીયા પર આ વસ્તુઓનું દાન કરે છે, મા લક્ષ્મી સ્વયં તેમના ઘરે આવે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરે છે.